માતાજીની કથા
જ્યારે સૃષ્ટિ નહોતી અને ચારે તરફ અંધકાર હતો, ત્યારે મા કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતથી બ્રહ્માંડની રચના કરી. તેથી તેમને સૃષ્ટિનાં આદિશક્તિ કહેવાય છે. માનવામાં આવે છે કે તેઓ સૂર્યની અંદર નિવાસ કરે છે અને ત્યાંથી આખા સંસારને પ્રકાશ અને ઊર્જા આપે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા દેવી પણ કહેવાય છે, અને તેમનું વાહન સિંહ છે. સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે તેમની પૂજા વિશેષ ગણાય છે.
પૂજા કેવી રીતે કરવી
માતાજીને માલપૂઆનો ભોગ ધરાવો અને લાલ કે પીળાં ફૂલ ચડાવો. પૂજા પછી માલપૂઆ પ્રસાદ તરીકે પરિવાર અને પડોશીઓમાં વહેંચો. મંત્ર જાપ સાથે ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.
મંત્ર
ૐ દેવી કૂષ્માણ્ડાયૈ નમઃ
શુભેચ્છા સંદેશ
જે સ્મિતથી સૃષ્ટિ બની, એ જ સ્મિત હંમેશાં તમારા ચહેરા પર રહે. જય મા કુષ્માંડા!
મા કુષ્માંડા તમને સારું સ્વાસ્થ્ય, લાંબું આયુષ્ય અને ઢગલો ખુશીઓ આપે. નવરાત્રીના ચોથા દિવસની શુભકામનાઓ!
સૂરજની જેમ તમારું જીવન પણ હંમેશાં ઝળહળતું રહે. શુભ નવરાત્રી!